મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) લીડર ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારના નવા અભિયાન 'સૌગાત-એ-મોદી' સામે નિશાન તાકતા કહ્યું કે , "હવે ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરવી જોઈએ કે તેમણે હિન્દુત્વ છોડી દીધું છે. ભાજપ હવે એવા લોકોને 'સૌગાત-એ-સત્તા' વહેંચી રહ્યા છે કે જેમના ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા અને કોમી રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા."

