સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલ નફરતભર્યા ભાષણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, આજકાલ દરેક વ્યક્તિ 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'ના નામે બધું યોગ્ય ઠેરાવવાનો પ્રયાસ કરે છે જે ખૂબ જ ખતરનાક છે. આવી ટિપ્પણી જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ ફ્રાન્સિસ વિશ્વનાથનની બેન્ચે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલી સામે વજાહત ખાન નામના વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી.

