વિક્રાંત મેસી અને શનાયા કપૂરની ફિલ્મ 'આંખો કી ગુસ્તાખિયાં' (Aankhon Ki Gustakhiyaan) થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને ફેન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ટ્રેલર જોયા પછી, લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આવતા શુક્રવારે થિયેટરમાં એક સારી ફિલ્મ જોવા મળશે. ટ્રેલર જોયા પછી, ફેન્સ શનાયાની એક્ટિંગના પણ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ મંસી બાગલા દ્વારા બનાવવામાં આવી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે ફિલ્મ બનાવવા માટે બધું જ દાવ પર લગાવી દીધું છે.
ફિલ્મ પૂર્ણ કરવા માટે ઘરેણાં અને ઘર વેચી દીધા
મંસી કહે છે કે 'આંખો કી ગુસ્તાખિયાં' (Aankhon Ki Gustakhiyaan) નું શૂટિંગ પૂર્ણ કરવા માટે તેણે તેના ઘરેણાં અને ઘર વેચવા પડ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં, તેણે કહ્યું, "હા, એક સમય એવો આવ્યો જ્યારે મેં શૂટિંગ પૂર્ણ કરવા માટે મારા ઘરેણાં વેચી દીધા. મારે મારું બીજું ઘર પણ વેચવું પડ્યું. પરંતુ મને આ બધું કરવાનો કોઈ અફસોસ નથી."
તેણે કહ્યું, "એક સમયે મેં મારી જાતને આ બધું કરવા માટે દબાણ કર્યું. જેથી હું એક ડગલું આગળ વધી શકું, એક સમયે આ દબાણ સારું હતું. પાછળથી આ વાત મારા માટે ફાયદાકારક સાબિત થઈ. મેં મારી ફિલ્મ ત્યારે બનાવી જ્યારે કોવિડ 19 ચરમસીમાએ હતો. આ સમય દરમિયાન મેં મેટલિસ્ટિક વસ્તુઓ પ્રત્યેનો મોહ છોડી દીધો હતો, મેં મારું આરામદાયક જીવન છોડી દીધું હતું અને મારા સપનાઓનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. મને એ કહેતા આનંદ થાય છે કે આજે હું આ બધું કરીને ખુશખુશાલ જીવન જીવી રહી છું."
સપના માટે બલિદાન
તેણે વધુમાં કહ્યું કે, "મેં પ્રેમને મારા ધર્મ તરીકે પસંદ કર્યો. હું એ પણ સમજી ગઈ હતી કે સપના પૂરા કરવા માટે ઘણી વસ્તુઓનું બલિદાન આપવું પડશે. મેં નક્કી કર્યું કે જ્યાં સુધી હું પાંચ સુપરહિટ ફિલ્મો નહીં આપું, ત્યાં સુધી બાળક નહીં કરું, હું મારા નિર્ણય પર અડગ રહીશ.' મંસી કહે છે કે, "મધરહૂડમાં વિલંબ કર્યા પછી મને શાંતિ મળી છે."
તેણે એમ પણ કહ્યું કે તેને કાસ્ટિંગ અને લેખનનો ખૂબ શોખ છે. મંસી કહે છે કે, "મેં ફિલ્મનું નિર્માણ એવી રીતે કર્યું છે જેમ કોઈ બાળકને જન્મ આપે છે. હું જાણું છું કે મારું હૃદય યોગ્ય જગ્યાએ છે." મંસીએ પોતાના કરિયર માટે જે કર્યું તે દરેક વ્યક્તિ નથી કરી શકતું. વિક્રાંત અને શનાયાની ફિલ્મ 11 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.