થોડા દિવસો અગાઉ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુજરાતી યુવકની હત્યા થઈ હતી. જેથી ભારત સહિત ગુજરાતી સમાજ હતપ્રત થઈ ગયો હતો. મૂળ નવસારીના બીલીમોરાના વતની મિહિર દેસાઈની હત્યા થયા બાદ આજે તેનો મૃતદેહ વતન ખાતે આવ્યો હતો. મૃતદેહને આજે વતન પહોંચાડવામાં માટે 14 લાખનું ફંડ એકત્ર કરીને માનવતા નિભાવી હતી. દીકરાના મૃતદેહને જોતા જ પરિવારની આંખોમાંથી અશ્રુધારા વહી હતી.

