Home / Gujarat / Gandhinagar : Congress leader Shaktisinh Gohil made serious allegations against the government in the Deesa fire incident.

VIDEO: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ડીસા અગ્નિકાંડ મામલે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયંકર બ્લાસ્ટના મામલામાં 21 લોકોના મોત થયા છે. આ ઘટના અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર આ ઘટનામાં આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગોહિલે જણાવ્યું કે મૃતકોના પરિજનો મધ્યપ્રદેશથી ડીસા પહોંચે તે પહેલાં જ મૃતદેહોને એક વ્યક્તિની સહીના આધારે રવાના કરી દેવાયા હતા, જે અમાનવીય છે અને સ્વીકાર્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે આ ફેક્ટરી પાસે કોઈ લાયસન્સ કે માન્યતા નહોતી, અને FSLની યોગ્ય તપાસ વિના માનવ અંગો જોડીને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જે ગંભીર બેદરકારી દર્શાવે છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon