હિમાચલ પ્રદેશના મંડીમાં અચાનક આવેલા પૂરને કારણે ધરમપુર વિસ્તારના સિયાથી ગામમાં વિનાશ સર્જાયો છે. આ ગામના 67 લોકો સાત દિવસથી મંદિરમાં રહે છે. 30 જૂને રાત્રે જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે લગભગ 12 વાગ્યાની આસપાસ, એક પરિવારના ઘરના બીજા માળે સૂતો એક શ્વાન અચાનક ભસવા લાગ્યું અને જોરથી રડવા લાગ્યો. જ્યારે પરિવારના સભ્યો ઉભા થયા અને જોયું તો ઘરમાં એક મોટી તિરાડ પડી ગઈ હતી અને પાણી ભરાવા લાગ્યું હતું. પરિવાર શ્વાનને લઈને ભાગી ગયો અને નજીકના લોકોને જગાડ્યા પછી, સલામત સ્થળે દોડી ગયો. તે જ રાત્રે પર્વતનો એક મોટો ટુકડો તૂટીને તે ગામ પર પડ્યો અને બધા ઘરો તેની નીચે દટાઈ ગયા.

