પહેલગામમાં આતંકી હુમલાનો ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે.ભારતની પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ આતંકના ત્રણ મોટા આકાઓ સહિત કેટલાક મોટા આતંકવાદીઓને પોતાના ચાર હેડક્વાર્ટરમાં શિફ્ટ કર્યા છે. અન્ય આતંકવાદીઓને વસ્તી ધરાવતા વિસ્તારમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારત તરફથી આતંકીઓના 9 ઠેકાણાઓ પર કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન માટે આતંકવાદીઓના નવા ઠેકાણા તૈયાર કરવા આસાન નથી.

