Pahalgam victims : જમ્મુ અને કાશ્મીરના Pahalgam માં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા મહારાષ્ટ્રના નાગરિકોના પરિવારો માટે દેવેન્દ્ર ફડણવીસ સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. આજે (29 એપ્રિલ), મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળની બેઠકમાં પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેમના પરિવારો માટે વિશેષ નાણાકીય સહાય પેકેજ મંજૂર કરવામાં આવ્યું.

