જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરી રહી છે. જેના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર સાથે ફોન પર વાત કરી છે. પહેલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને ચીનનું સમર્થન મળ્યું છે.

