India Stopped Water Flow of Chenab to Pakistan: કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કડક નિર્ણયો લઈ રહ્યું છે. જેના પગલે ભારતે 24 એપ્રિલના રોજ એક નિર્ણય લીધો હતો જેમાં વર્ષ 1960 ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. હવે સરકાર એવી યોજના બનાવી રહી છે જેના કારણે પાકિસ્તાનને પાણીના દરેક ટીપા માટે તડપવું પડશે. ભારત સરકાર પાકિસ્તાન તરફ વહેતા પાણીને સંપૂર્ણપણે બંધ કરવા માટે ત્રણ પાયાની વ્યૂહરચના બનાવી રહી છે. નદીના પાણીને રોકવાની પ્રક્રિયા લાંબી હોવાથી, સરકાર તેને તબક્કાવાર અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે.

