સુરેન્દ્રનગર જિલ્લાના ખોડું ગામે ગૌચર જમીનો પર ખનિજ માફિયાઓએ કબજો જમાવી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામમાં આવેલી 3 હજારથી વધુ વીઘા ગૌચર જમીન પર ખનિજ માફિયાઓએ અવૈધ રીતે કબજો કરી, ભડાકા કરીને પથ્થરોનું ખોદકામ શરૂ કર્યું છે.

