સુરતમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી ભયજનક મકાનો સામે કાર્યવાહીની ગતિ તેજ કરવામાં આવી છે. મનપાએ ચોમાસા દરમિયાન નિકળતા વરસાદના પગલે ભયજનક મિલકત ધસે કે ધરાશાયી થાય તેવી સ્થિતિને ટાળવા માટે 270થી વધુ મિલકતદારોને સત્તાવાર નોટિસ ફટકારી છે.

