ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાઇ ગયું છે. કેટલાક દિવસથી પરમાણુ હુમલાની ધમકી આપનારા પાકિસતાને હવે યૂ ટર્ન લેતા કહ્યું કે-આ વિકલ્પ પર વિચાર કરવામાં નથી આવતો. ભારતના એક્શનથી પાકિસ્તાન બેકફૂટ પર આવી ગયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, "હું દુનિયાને જણાવી રહ્યો છું કે આ માત્ર એક ક્ષેત્ર સુધી સીમિત નથી રહેવાનો, તેનાથી ઘણો વ્યાપક વિનાશ થઇ શકે છે."

