India vs Pakistan News : પહલગામમાં આતંકી હુમલા પાકિસ્તાન સાથે ચાર દિવસના ઘર્ષણમાં ભારતે પડોશી દેશને ભારે નુકસાન પહોંચાડયું હતું અને અચાનક જ 10 મેએ ભારતે સીઝફાયરની પાકિસ્તાનની વિનંતી માની લીધી હતી. એટલું જ નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે અચાનક જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે સક્રિય થયા તેનો ઘટસ્ફોટ હવે થયો છે. પાકિસ્તાનના જે નુરખાન એરબેઝને ભારે નુકસાન પહોંચાડયું હતું તેના પર હકીકતમાં અમેરિકાનું નિયંત્રણ છે અને ત્યાં રખાયેલા પરમાણુ હથિયારો પણ અમેરિકાના હોવાની સોશિયલ મીડિયા પર વ્યાપક સ્તરે અટકળો થઈ રહી છે.

