પહેલગામ હુમલા બાદ ભારત નાએ પાકિસ્તાન વચ્ચે વાતાવરણ તણાવપૂર્ણ છે. અમેરિકાનું કહેવું છે કે તે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન બંનેના સંપર્કમાં છે અને તેમને જવાબદાર ઉકેલ તરફ કામ કરવા વિનંતી કરી છે. હુમલા બાદ અમેરિકા સરકારે ભારતને ટેકો આપ્યો છે પરંતુ હજુ સુધી પાકિસ્તાનની ટીકા કરી નથી. 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે ભારતે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું હતું, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. પાકિસ્તાને ભારતના આરોપોને ફગાવી દીધા છે અને આ આતંકવાદી હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

