Pahalgam Attack થી ભારતભરમાં આક્રોશ હજુ શાંત નથી થયો ત્યાં કાશ્મીર ખીણમાં હવે કાશ્મીરી પંડિતો અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનું આતંકીઓ કાવતરું ઘડી શકે છે તેમ સુરક્ષા દળોનું માનવું છે. આ જોખમોને ધ્યાનમં રાખતાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બીજીબાજુ Pahalgam આતંકી હુમલાના ચાર શકમંદ આતંકીઓ કઠુઆમાં દેખાયા હોવાનો એક મહિલાએ દાવો કરતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

