ઈસરોએ તેના વડા ડૉ. વી. નારાયણનને ટાંકીને પોસ્ટમાં લખ્યું છે કે, 'હવામાન પરિસ્થિતિઓને કારણે ભારતીય ગગનયાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવા માટેના એક્સિઓમ-૪ મિશનનું લોન્ચિંગ 10 જૂનને બદલે 11 જૂને મુલતવી રાખવામાં આવ્યું છે. આગામી લોન્ચિંગનો સમય 11 જૂને સાંજે 5:30 વાગ્યે છે.'

