IPL 2025ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે. આ મેચ આજે એટલે કે 8 એપ્રિલે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. જો આપણે IPL 2025 પોઈન્ટ્સ ટેબલ પર નજર કરીએ તો, પંજાબ હાલમાં 3માંથી 2 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે ચેન્નાઈ 4 મેચમાં ફક્ત એક જ મેચ જીત જીત્યું છે અને હાલમાં ટેબલમાં 9મા સ્થાને છે. તો ચાલો જાણીએ કે પંજાબ અને ચેન્નાઈ વચ્ચેની મેચ માટે પિચ રિપોર્ટ કેવો રહેશે, કોણ જીતી શકે છે અને બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

