તાજેતરમાં જ BCCIએ IPL ટીમના માલિકો સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડી જાહેર કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના માલિક કાવ્યા મારને સખત વાંધો વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે ધોનીને અનકેપ્ડ પ્લેયર બનાવવા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

