ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ન્યુઝીલેન્ડે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે રમતના પાંચમા દિવસે (20 ઓક્ટોબર) લંચ પહેલા જ ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે ન્યુઝીલેન્ડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે.

