ઈન્ડિયન ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પોતાની પર્સનલ લાઈફને લઈને હાલમાં ખૂબ ચર્ચામાં છે. પત્ની ધનશ્રી સાથે છૂટાછેડાની અફવાએ હાલ જોર પકડયું છે. યુઝવેન્દ્ર ચહલ હવે IPL 2025માં રમતો દેખાશે. ગત વર્ષે IPL 2025ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ચહલ ક્રિકેટર જ નહીં ઈન્કમ ટેક્સમાં ઈન્સ્પેક્ટર પણ છે. એક રિપોર્ટ પ્રમાણે ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી મહિને 44,900થી 1,42,400 રૂપિયા વચ્ચે સેલેરી મળે છે. અહેવાલો પ્રમાણે યુઝવેન્દ્ર ચહલની અંદાજિત નેટવર્થ 45 કરોડ રૂપિયા છે. હાલમાં તે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો હિસ્સો નથી. મીડિયા અહેવાલ પ્રમાણે ચહલે હરિયાણાની મહાત્મા ગાંધી કોલેજ ઓફ હેલ્થ સાયન્સિસમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

