Ahmedabad Plane Crash : અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઑફ થયાની બે મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ગત બુધવારે (12 જૂન) ક્રેશ થયું હતી. આ વિમાનમાં સવાર તમામ 242 મુસાફરો પૈકી 11A નંબરની સીટ પર બઠેલા એક જ મુસાફર રમેશ વિશ્વાસનો જીવ બચ્યો હતો. હાલ રમેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 27 વર્ષ પહેલા એટલે કે વર્ષ-1998માં આવી જ રીતે એક વિમાન દુર્ઘટનામાં એક થાઈલેન્ડનો એક્ટર-સિંગરનો જીવ બચ્યો હતો. તે પણ 11A નંબરની સીટ પર બેઠો હતો. આ ગજબના સંયોગ મામલે સીટ નંબર 11Aને લઈને લોકોમાં વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે.

