Supreme Court: સુપ્રીમ કોર્ટના વકીલોના સંગઠને દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર ગવઈને પત્ર લખ્યો હતો. જેમાં સંગઠને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય એજન્સી ED વકીલોને સ્વતંત્ર રીતે કામ કરવામાં અડચણો ઊભી કરી રહી છે. સુપ્રીમ કોર્ટના વકીલ અરવિંદ દાતાર બાદ વરિષ્ઠ વકીલ વેણુગોપાલને પણ ઇડીએ સમન્સ પાઠવ્યા હતા. જેને પગલે વકીલોના સંગઠન એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશને મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ઈડીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ ઈડીના આ સમન્સની ભારે ટીકા કરી છે.

