ગુરુવારે તા. 12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 પ્લેન ટેકઓફ થતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં મેઘાણીનગરમાં ક્રેશ થયું. આ ગોઝારી દુર્ઘટનામાં પ્લેનમાં મુસાફરી કરતા 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ માર્યા ગયા. જ્યારે આ પ્લેન જે બિલ્ડિંગ સાથે ટકરાયું તે મેડિકલ કોલેજની હોસ્ટેલના રેસિડેન્ટ ડોક્ટરો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. અત્યાર સુધી મૃત્યુનો આંક 265 હોવાનું જાણવા મળ્યું છે.

