અમદાવાદમાં બાળકના જન્મ અને મરણની નોંધણી કરાવવાની ફીમાં વધારો થયો છે. જેથી હવે આવી નોંધણી મોંઘી બની ગઈ છે. જન્મ-મરણ નોંધણી અધિનિયમ હેઠળ ફીમાં વધારો કરાયો છે. આ નવા નિયમો લાગુ થઈ ચુક્યા છે. જન્મ તેમજ મૃત્યુ બાદ 21 દિવસ સુધી નોંધ કરાવો તો તેની ઉપર કોઈ ફી ચુકવવી નહીં પડે. આ નોંધણી બિલ્કુલ ફ્રી છે. ત્યારબાદ 21 દિવસ બાદ નોંધણી કરાવો તો ફીમાં વધારો થાય છે.

