સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. લક્ષ્મણ નગર વિસ્તારમાં રહેતા 17 વર્ષીય કિશોર પરેશ અરવિંદ વાઘેલાની નશેડીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. જેથી આ ઘટના વિસ્તારમાં ભારે ચકચાર સર્જી ગઈ છે. લોકોમાં ભારે રોષ છે. ત્યારે દારૂના અડ્ડાઓ બંધ કરાવોના નારા સાથે મહિલાઓએ રણચંડી બનીને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને આકરી કાર્યવાહીની માગ કરી હતી. આ સમયે મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

