Pahalgam આતંકી હુમલા બાદ ચારે બાજુથી ઘેરાયેલું પાકિસ્તાન પોતાની બેશરમી છોડતું નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન ઇશાક ડારે નીમ્ન કક્ષાનું નિવેદન આપ્યું છે. ઈશાક ડારે પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓને સ્વતંત્રતા સેનાનીઓ ગણાવી દીધા છે. તેણે કહ્યું કે પહેલગામમાં હુમલો કરનારા લોકો સ્વતંત્રતા સેનાની હોઈ શકે છે.

