ગુરુ પૂર્ણિમા એ શિષ્યને પૂર્ણ જ્ઞાન પ્રદાન કરવાવાળી પૂર્ણિમા છે. વ્યક્તિ ક્યારેય પણ પોતાના જીવનમાં પૂર્ણ હોઈ શકે નહિં. પૂર્ણ એ તો ભગવાન છે. ભગવાન સર્વજ્ઞા છે જીવ અલ્પજ્ઞા છે. પ્રભુ સુધી પહોંચવાના બે માર્ગો છે. એક છે જ્ઞાન માર્ગ અને બીજો છે ભક્તિ માર્ગ. ગુરુની કૃપા થાય તો આ બન્ને માર્ગો ઉપર વ્યક્તિ પૂર્ણ રીતે જઈ શકે અને એ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરાવવાવાળી પૂર્ણીમા એટલે ગુરુ પૂર્ણિમા.

