ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા જામનગરના ચેલા ગામે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. રિપેરિંગની કામગીરી બાદ ટેકનિકલ ખામી દૂર થતાં હેલિકોપ્ટરે ફરી ઉડાન ભરી હતી. જણાવી દઈએ કે, જામનગરના ચેલામાં ટેકનિકલ ખામી સર્જાતા એરફોર્સનું હેલિકોપ્ટર લેન્ડ કરાયું હતું. રંગમતી ડેમ પાસે વાયુ સેનાનું હેલિકોપ્ટર અચાનક જ લેન્ડિંગ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

