ઇદ પહેલા ભાજપ સંગઠન દ્વારા સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા દેશભરમાં 32 લાખ મુસ્લિમ પરિવારોને ઇદની ઉજવણી માટે ખાસ કીટ આપવામાં આવવાની હતી અને તેની જવાબદારી ભાજપના લઘુમતી મોરચાએ લીધી હતી. જોકે, ગુજરાતમાં ભાજપના લઘુમતી મોરચા દ્વારા સંગઠનમાં કામગીરી બતાવવા માટે ફક્ત એકલ-દોકલ ફોટો સોશિયલ મીડિયામાં મુકીને સંતોષ માની લીધો હતો.

