વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મીડિયાને સંબોધન કર્યું. જેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની સંરક્ષણ મંત્રીઓની બેઠક, અમેરિકા દ્વારા જારી કરાયેલી એડવાઈઝરી અને ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ ક્ષેત્રમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા અંગે માહિતી આપી.

