વિદેશ મંત્રી એસ.જયશંકરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે જયશંકર હવે બુલેટપ્રૂફ કારમાં ચાલશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જયશંકરની વધેલી સુરક્ષામાં ખાસ બુલેટપ્રૂફ કારને સામેલ કરી છે. દિલ્હીમાં તેમના ઘરની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. જયશંકરને પહેલાથી જ Z કેટેગરીની સુરક્ષા મળેલી છે, જે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના કમાન્ડો તરફથી આપવામાં આવે છે, તેમની સુરક્ષા માટે 33 કમાન્ડોની એક ટીમ 24 કલાક તૈનાત રહે છે.

