Adani: ઓડિશાના પુરી શહેરમાં યોજાનારી ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ભક્તોની સેવા કરવા માટે અદાણી ગ્રુપે એક પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત, ગૃપ ગુરુવાર 26 જૂનથી 8 જુલાઈ સુધી 40 લાખથી વધુ લોકોને મફત ખોરાક અને પીવાના પાણીનું વિતરણ કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ અદાણી ગૃપે પ્રયાગરાજમાં કુંભ મેળા દરમિયાન ભક્તો માટે મોટા પાયે ભોજન કરાવવાનુ અને સેવાકાર્ય પણ કર્યું હતું. આ સેવા પ્રયાસ અદાણી ગૃપ, પુરી જિલ્લા વહીવટીતંત્ર, ઇસ્કોન અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચલાવવામાં આવી રહ્યો છે.

