ઘણીવાર લોકો વિચારે છે કે આપણે બેંકોમાં જે ફાટેલી નોટો પાછી આપી આવીએ છીએ, બેંક તેનું શું કરતું હશે. ઘણા લોકોના મનમાં આવા પ્રશ્નો આવતા હશે. તો હવે આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. ભારતીય રિઝર્વ બેંક આ માટે ખાસ પગલાં લેવા જઈ રહી છે. કાગળની નોટોના નિકાલને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. આરબીઆઈ હવે લાકડાના બોર્ડ બનાવવા માટે ફાટેલી નોટોનો ઉપયોગ કરશે.

