વૈશ્વિક બજારોમાં મજબુતિ છતાં ભારતીય શેરબજારમાં શુક્રવારે 25 એપ્રિલના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રોકાણકારો સાવધ બન્યા, જેના કારણે નિફ્ટી 50 અને બીએસઈ સેન્સેક્સ અનુક્રમે 0.86% અને 0.74% ઘટીને બંધ થયા. ગુરુવારે શરૂઆતમાં, સતત સાત ટ્રેડિંગ સત્રો સુધી વધારા બાદ બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-50 અને સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા.

