રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) ને 6 રનથી હરાવીને પહેલીવાર IPL ટાઈટલ જીત્યું. ટાઈટલ જીત્યા બાદ, RCBની ટીમ ઉજવણી કરવા માટે તેના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પરત ફરી. પરંતુ અહીં ભાગદોડ મચી ગઈ, જેમાં 11 લોકો મૃત્યુ પામ્યા અને 33 ઘાયલ થયા. હવે આ ઘટના પર IPL ચેરમેન અરુણ ધુમલે પ્રતિક્રિયા આપી છે.

