ભારતમાં દરેક વ્યક્તિને આવી રોકાણ યોજનાઓ વિશે જાણવું હોય છે, જ્યાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકાય છે. ભારતમાં આના માટે ઘણા વિકલ્પો છે. જે તમને ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે. આમાંથી કયો રોકાણ વિકલ્પ તમારા માટે યોગ્ય છે તે જાણવું તમને ફાઇનેન્શિયલ સિક્યોરિટી પ્રોવાઇડ કરાવે છે. તેમજ કલમ 80C, 80D અને આવકવેરાના અન્ય વિભાગો હેઠળ કર કપાત પર પણ લાભ આપે છે. તેથી આજે અમે તમને જણાવીશું રોકાણની કેટલીક એવી રીત જ્યાં રોકાણ કર્યા પછી તમે પણ ટેક્સ બચાવી શકો છો.

