પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે ભારત અને પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર પણ આમને-સામને આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સિરીઝ નથી રમાતી, પરંતુ આ બંને ટીમો ICC ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં ટકરાય છે. તે સમય દરમિયાન ઉત્સાહ ચરમસીમાએ હોય છે, હવે શક્ય છે કે ભારત અને પાકિસ્તાનને ICC ટૂર્નામેન્ટમાં પણ એક જ ગ્રુપમાં ન રાખવામાં આવે. જોકે હજુ સુધી તેના વિશે કોઈ સમાચાર બહાર નથી આવ્યા, પરંતુ પહેલગામ હુમલા પછી આ એક મોટું અપડેટ છે.

