ભારતમાં દિવસે ને દિવસે સાયબર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર ગુનાની રીતો પણ બદલાતી રહી છે. ઓટીપી, એપીકે લિંક, ડિજિટલ અરેસ્ટ સહિત અનેક પ્રકારે સામાન્ય ભારતીય પ્રજા સાયબર સ્કેમર્સનો ભોગ બની રહી છે. છેલ્લા એક વર્ષમાં જ સાયબર ગુનેગારોએ ભારતીયો પાસેથી અંદાજે રૂ. 22,812 કરોડની તફડંચી કરી છે. દેશમાં 2024માં ભારતીયોએ સાયબર ગુનાના અંદાજે ૨૦ લાખ કેસ નોંધાવ્યા છે. જોકે, સાયબર છેતરપિંડીની ફરિયાદ ન કરી હોય તેવા લોકોને પણ ધ્યાનમાં લેવામાં આવે તો ભારતીયો સાથે સાયબર છેતરપિંડીની રકમ અબજો કરોડોમાં હોઈ શકે છે.

