નર્મદા જિલ્લાના દેડિયાપાડાના રોઝઘાટમાં જળસંકટ સર્જાયું છે. ભર ઉનાળે પાણી માટે ખેતરોમાં મહિલાઓ રઝળપાટ કરી રહી છે. ગામમાં આવેલા હેન્ડપંપને બોરમાં પાણીના સ્તર નીચે જતા મોટા ભાગના નકામા થયા છે. ખેતરોમાં કૂવામાં પાણી ભરવા મજબુર મહિલાઓ થઈ છે. લાખોના ખર્ચે બનાવેલા "નલ સે જલ " યોજના ફારસરૂપ સાબિત થઈ છે. નળ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. રોઝઘાટ ગામે મનુષ્યો, પશુઓ, પક્ષીઓ અને જંગલના પ્રાણીઓને પીવાનું પાણી મળતું નથી. રોઝઘાટ સહિત સમગ્ર દેડિયાપાડા તાલુકામાં જળ સંકટ શરૂ થઈ ગયું છે. જમીનમાં જળસ્તર નીચે ઉતરી ગયા છે. જમીનમાં જળસ્તર ૬૦૦ ફૂટ નીચે ઉતરી ગયા છે.

