જસ્ટીસ યશવંતસિંહાના ઘરેથી બળી ગયેલી નોટોના બંડલો મળી આવ્યા હતા. ત્યાર પછી સુપ્રિમ કોર્ટે નિમેલી ખાસ કમિટીએ પણ એવું કહ્યું છે કે મળી આવેલા બંડલો જસ્ટીસ યશવંત વર્માના હતા. આ બાબતે હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ કહ્યું છે કે, જજના ઘરેથી મળી આવેલા કરોડો રૂપિયા બાબતે હજી સુધી એફઆઇઆર દાખલ શા માટે નથી થતી. ધનખડના કહેવા પ્રમાણે એવું લાગે છે કે, આખો કેસ દબાવી દેવામાં આવ્યો છે. લોકો રાહ જોઈ રહ્યા હતા કે સત્ય બહાર આવે. પરંતુ સત્ય બહાર લાવવા માટે જજ સામે એફઆઇઆર થવી જરૂરી છે. આ પ્રકારના બનાવો ન્યાયતંત્રને બદનામ કરે છે.

