કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની માંગ ફરી જોર પકડી રહી છે અને આ ઘટના હવે દિલ્હી દરબારમાં પહોંચી ગઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે જ તેના સંકેત આપ્યા હતા. આ વચ્ચે દિલ્હીથી પ્રતિનિધિ તરીકે આવેલા રણદીપ સુરજેવાલાએ કર્ણાટકના કેટલાક ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે.

