- સનાતન તંત્ર
સમગ્ર વિશ્વનો જો કોઈ સૌથી લઘુ ગ્રંથ હોય, તો એ ગાયત્રી મંત્ર છે! સનાતન ધર્મ અને અધ્યાત્મનો સાર આ મંત્રમાં સમાવિષ્ટ છે. પ્રચલિત કારણ તો સહુ જાણે જ છે કે ચાર વેદોનો મૂળ આધાર ગાયત્રી મંત્ર છે. ભગવાન બ્રહ્મા જ્યારે વેદોનું નિર્માણ કરી રહ્યા હતા, એ વેળા એમણે ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોનો આધાર લઈને વેદોની રચના કરી હતી, જે કર્ણોપકર્ણ પરંપરા થકી આગળ ગુરુ-શિષ્ય પરંપરામાં આગળ વધ્યા અને જનમાનસ માટે લોકભોગ્ય બન્યા; પરંતુ ઓછું પ્રચલિત કારણ એ છે કે ગાયત્રી મંત્ર ભારતીય ઉપાસના વિજ્ઞાાનનું મૂળ તત્ત્વ છે. સર્વોપરિ અને સર્વશ્રેષ્ઠ એવા આ મંત્ર સાથે સુબુદ્ધિનો સીધો સંબંધ છે.

