ભાજપ દ્વારા આંબેડકર જયંતીની ઉજવણી મામલે હવે કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસે ભાજપને બંધારણ વિરોધી ગણાવી છે. ભાજપ દ્વારા આંબેડકર જયંતીની ઉજવણી મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, લાંબા સમયથી ના છૂટકે ભાજપને બંધારણ યાદ આવ્યું છે. કોંગ્રેસ પક્ષ આંબેડકરના સિધ્ધાંતો મુજબ બંધારણ બચાવવા અડગ છે.

