અમદાવાદના પેલેડીયમ મોલ પાસે તોડફોડ મામલે વસ્ત્રાપુર પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. જેમાં વિજય ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તોડફોડ કેસના આરોપી પ્રિન્સ જાંગીડની ફરિયાદ લઈને વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. વિજય ભરવાડ રૂ 50 લાખની માંગણી કરતો હતો. મોલ નજીક પ્રિન્સની ગાડી રોકીને પૈસાની ઉઘરાણી કરીને મારવાની ધમકી આપતા મારામારી થઈ હતી. મારામારી બાદ પ્રિન્સ અને તેના મિત્રોએ તોડફોડ કરી હતી.

