ભરવાડ સમાજના આસ્થા કેન્દ્ર એવા નગાલાખા બાપાના ધામ - બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથા સ્વરૂપે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરવાડ સમાજની 75,000 બહેનો દ્વારા પરંપરાગત ગોપી હુડા મહારાસ યોજી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ કાર્યક્રમમાં સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ સહિત 2 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

