કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપૂ નાયડુએ અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું લોકાર્પણ કર્યું. અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-1 પર શરૂ કરવામાં આવેલા આ ઉડાન યાત્રી કાફેમાં યાત્રીઓને 10 રૂપિયામાં ચા અને પાણીની બોટલ મળશે, તેમજ 20 રૂપિયામાં સમોસા અને અન્ય નાસ્તો મળશે. દિલ્હી, ચેન્નાઈ બાદ હવે અમદાવાદ એરપોર્ટ ઉડાન યાત્રી કાફેની શરૂઆત થઇ છે. અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર અંદાજિત 30 હજાર મુસાફરોને આ ઉડાન યાત્રી કાફેનો લાભ મળશે.

