Gandhinagar News: ગાંધીનગરના નભોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર ચાર લોકો ડૂબ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, પાંચ લોકો સવાર એક કાર નર્મદા કેનાલમાં ખાબકતા બે યુવક અને એક યુવતીનું મોત થયું છે, જેમના મૃતદેહ ગાંધીનગર ફાયર વિભાગ અને સ્થાનિક દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.

