Home / Gujarat / Surat : Udhna Railway Station enjoyed its vacation

Surat News: ઉધના રેલવે સ્ટેશનને વેકેશન ફળ્યું, એપ્રિલમાં 1.04 લાખ મુસાફરોથી 5.68 કરોડની થઈ આવક

Surat News: ઉધના રેલવે સ્ટેશનને વેકેશન ફળ્યું, એપ્રિલમાં 1.04 લાખ મુસાફરોથી 5.68 કરોડની થઈ આવક

સુરતમાં ઉનાળુ વેકેશનમાં વતન જનારા લોકોનો ઉધના રેલવે સ્ટેશને માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. આ ભીડ આગામી 15મી મે સુધી યથાવત રહે તેવી સંભાવના છે. માત્ર એપ્રિલની જ વાત કરીએ તો ઉધના રેલવે સ્ટેશન ખાતેથી 1.04 લાખથી વધુ મુસાફરોએ જનરલ ટિકિટ પર મુસાફરી કરી હતી. જોકે રેલવેની ક્રાઉડ મેનેજમેન્ટ ટીમે આ ભીડને નિયંત્રિત કર્યું હતું. પ.રેલવે મુજબ 7થી 28 એપ્રિલની વચ્ચે ઉધનાથી ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો માટે સ્પેશિયલ ટ્રેનોની 48 ટ્રિપ ચલાવવામાં આવી હતી. આ ટ્રેનોમાં 62,126 મુસાફરોએ રિઝર્વ્ડ કોચ અને 26 હજાર મુસાફરોએ જનરલ કોચથી મુસાફરી કરી. જેનાથી રેલવેને 5.68 કરોડ રૂપિયાની આવક થઇ

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon