સુરતમાં ઉનાળુ વેકેશનમાં વતન જનારા લોકોનો ઉધના રેલવે સ્ટેશને માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. આ ભીડ આગામી 15મી મે સુધી યથાવત રહે તેવી સંભાવના છે. માત્ર એપ્રિલની જ વાત કરીએ તો ઉધના રેલવે સ્ટેશન ખાતેથી 1.04 લાખથી વધુ મુસાફરોએ જનરલ ટિકિટ પર મુસાફરી કરી હતી. જોકે રેલવેની ક્રાઉડ મેનેજમેન્ટ ટીમે આ ભીડને નિયંત્રિત કર્યું હતું. પ.રેલવે મુજબ 7થી 28 એપ્રિલની વચ્ચે ઉધનાથી ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો માટે સ્પેશિયલ ટ્રેનોની 48 ટ્રિપ ચલાવવામાં આવી હતી. આ ટ્રેનોમાં 62,126 મુસાફરોએ રિઝર્વ્ડ કોચ અને 26 હજાર મુસાફરોએ જનરલ કોચથી મુસાફરી કરી. જેનાથી રેલવેને 5.68 કરોડ રૂપિયાની આવક થઇ

