રેમલ વાવાઝોડાને કારણે ફ્લાઇટ, ટ્રેન સહિતના વાહન વ્યવહારને અસર થઇ છે. રેમલ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડાની અસરને કારણે કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સતર્ક રહેવાની સૂચના આપી હતી, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સમીક્ષા બેઠક બોલાવી હતી.

